નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે લોકસભા સમાપન ભાષણ દરમિયાન પીએમ મોદીના ખુબ વખાણ કર્યાં. એટલું જ નહીં પીએમ મોદી દેશના ફરીથી વડાપ્રધાન બને તેવી શુભેચ્છાઓ પણ આપી. મુલાયમ સિંહના આ નિવેદનથી તો જાણે આખા દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો. યુપીની સાથે સાથે બિહારમાં પણ આ નિવેદન પર પ્રક્રિયા આવવા લાગી. આ બાજુ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને મુલાયમ સિંહના સંબંધી રાબડી દેવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન 


રાબડી દેવીએ કહ્યું કે મુલાયમ સિંહની હવે ઉંમર થઈ ગઈ છે. તેમને કશું યાદ રહેતુ નથી. આ જ કારણે તેઓ ક્યારે શું બોલી નાખે તે કહી શકાય નહીં. રાબડી દેવીએ કહ્યું કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે એટલે તેમના બોલવાનો કોઈ અર્થ રહેતો નથી. અત્રે જણાવવાનું કે રાબડી દેવી અને મુલાયમ સિંહના પરસ્પર પણ સંબંધ છે. તેઓ વેવાઈ થાય છે. તેમની પુત્રીના લગ્ન મુલાયમ સિંહના ભત્રીજા સાથે થયા છે. 


LG vs દિલ્હી સરકાર: ACB કેન્દ્રના તાબા હેઠળ, ટ્રાન્સફર-પોસ્ટિંગ મુદ્દે સુપ્રીમના બંને જજમાં મતભેદ


જો કે બિહારના સત્તાપક્ષના નેતાઓએ મુલાયમ સિંહના નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું કે આટલા મોટા નેતાએ નિવેદન આપ્યું છે, તો વિપક્ષે કઈં શીખવું જોઈએ. તેમને પણ ખબર છે કે પીએમ મોદીને હરાવનાર કોઈ નથી. દેશમાં ફક્ત નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનવાને લાયક છે. 


રાહુલ જ્યાંના સાંસદ છે તે અમેઠી અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, બનશે માસ્ટરસ્ટ્રોક!


મુલાયમ સિંહે આ સાથે જ કહ્યું કે મોદીજીએ બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી. આ સાંભળતા જ પીએમ મોદીએ હાથ જોડીને સપા નેતાનું અભિવાદન કર્યું હતું. આ રસપ્રદ પ્રસંગ સર્જાયો ત્યારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, મુલાયમ સિંહની બાજુમાં જ બેઠા હતાં. તેઓ પણ મરક મરક હસતા હતાં.